________________
અંતરંગદશા ગુપ્ત રાખવાની જ્ઞાનીની રીત હોય છે, તે સમજાય છે. શ્રી સૌભાગભાઈને એક પત્ર લખતા પ્રશ્નરૂપ માર્મિક વાત લખી છે :
“લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?” જેણે આત્મહિત કરવાનો નિશ્ચય છે તે પ્રત્યેક મુમુક્ષુએ આ. વાતને લક્ષમાં રાખીને જ પ્રસંગે પ્રસંગે પ્રવર્તવું યોગ્ય છે. લોકદૃષ્ટિ સાધકને ક્યારેય કલ્યાણનું કારણ થતું નથી, અવરોધક તત્ત્વ છે. મુમુક્ષતા વર્ધમાન થવા માટેનો ઉપાય બતાવતા લખે છે કે : “આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદતાને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે” સંસારી જીવો પ્રાય આરંભ અને પરિગ્રહ પ્રત્યે હિત બુદ્ધિએ વર્તે છે. તેમને આ બંને અનિષ્ટકારી સંસાર વર્ધક છે તેવું જ્ઞાન નથી. જેને સંતકૃપાએ આ બોધ મળ્યો છે તેણે સાવધાન થઈ વર્તવું યોગ્ય છે.
“દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે.”
આત્મા, માનવદેહમાં રહેવા છતાં, સર્બોધ પામીને તથારૂપ પુરુષાર્થ કરે તો પૂર્ણ વીતરાગ થઈ સિદ્ધ પદને પામે છે. પૂર્વે જે કોઈ આત્મા મુક્ત થયા, સિદ્ધ થયા, તે આ પ્રકારે થયા છે.
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે.” જીવાત્મા જ્યારે પણ સુખ-દુઃખ વેદે છે, ત્યારે પોતાનાં કર્મ જ ભોગવે છે, કોઈનાં કારણે સુખ-દુઃખની પ્રાપ્તિ હોતી નથી, આ પરમ સત્ય છે. અજ્ઞાનવશ વર્તતો મનુષ્ય આ વાત ન સમજાયાથી અન્યને દોષ દે છે.
“જગતનાં અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીનાં અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીનાં અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યકદર્શન થાય છે.” જગતને અને ભગતને ક્યારેય મેળ બેસતો નથી, કેમ કે બંનેની દૃષ્ટિ તદ્દન ભિન્ન છે, ભગત(જ્ઞાની) ની&િઇટને પ્રશાબીજ • 210 base