________________
બોધપાઠ-૮૦
0 શ્રીમદજીનો તત્વબોધ-૮
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૫. ક. શ્રીમદ્જીનાં જીવનનાં ૨૫ માં વર્ષમાં અષાઢી મેઘ જેવી ભારે બોધ વર્ષા થઈ છે જેનો પરિચય કરીએ :
“કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે. એટલે કયાંય સાતુ નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી.” આ વર્ષમાં ધંધાકીય ઉપાધિનો યોગ વિશેષ રહ્યો છે, ખુબ જ પરિશ્રમ કર્યો છે, જેથી મન કે જે વૈરાગ્યભાવમાં રહેવા ઇચ્છે છે, તે પ્રકારે અવકાશ મળતો નથી, તેની વ્યથા દેખાય છે.
મોક્ષમાર્ગનું રહસ્ય બતાવતાં લખ્યું છે :
“ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
deskત્ર પ્રજ્ઞાબીજ 208 Aઇજી8િ