________________
ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જીવોને જે પૂર્વ ભવમાં પ્રાપ્ત થયું હોય તે જ એક યા બીજા સ્વરૂપે મળતું રહે છે અને તેમાં જ જીવ રાચતો રહે છે, પરિણામે ફરી ફરી આ ભ્રમણ થતું જ રહે છે. પરંતુ આ વાત બહુ થોડાં જ મનુષ્યોને સમજાય છે. જેને આ વાત સમજાય છે તેણે ઉપરનાં વચનો લક્ષમાં લેવાનું ખુબ જરૂરી છે. જીવ સ્વચ્છેદે એ ગ્રહિત માન્યતા ઉપરાંત અહંભાવમાં આવીને ગતાનુગત ધર્મક્રિયા કરતો રહે છે, ઓઘે ઓથે, લોકસંજ્ઞાએ ધર્મની સાંપ્રદાયિક પરંપરાએ વત્ય કરે છે. જેથી તેનાં પરિભ્રમણનો અંત આવતો નથી. જેને ખરેખર છુટવાનો નિશ્ચય છે તેણે તો સાચા જ્ઞાની-સત્પુરુષને ઓળખીને, ચોકસી કરીને નિષ્ઠાથી આશ્રય કરવો પડશે. જો કે આ કાળમાં આવા સત્પુરુષનો યોગ દુર્લભ છે. તો પણ પોતાની યોગ્યતા-પાત્રતા વધારતા રહીને પુરુષની શોધ પણ કરતાં રહેવું પડશે.
“એમ વિચારી અંતરે; શોધે સદ્દગુરુ યોગ,
કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રોગ.” અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે તેમ સમજાય છે, સમજાતું જાય છે.
HAR
euolex • 207 BALACA:42