________________
શ્રી સૌભાગને લખ્યું છે કે :
ઘણાં ઘણાં પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણ. વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” આમ ભક્તિ માર્ગની મહત્તા બતાવે છે. ભક્તિમાં સમર્પણ એ મુખ્ય શરત છે તે માટે લઘુતાનો ગુણ વિકાસ પામે તે પણ જરૂરી છે. ભક્તિ અર્થાત્ સ્વપણાનો લોપ અને પરમતત્ત્વનો સર્વાગી સ્વીકાર એમ સમજાવું ઘટે છે. વળી લખે છે : “મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સતુને જ પ્રકાર્યું છે. તેનું જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે, અને તે જ પરમપ્રેમે ભજવા યોગ્ય છે.”
સતની વ્યાખ્યા આત્મા, પરમાત્મા, ઈશ્વર, સત-ચિત-આનંદ વગેરે કરી છે, તેનો સ્વીકાર થતાં મતભેદ નાશ પામે છે. વળી લખે છે :
“સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.” જીવાત્માને સંસાર પ્રત્યે મોહ છે જેથી સત્ જે પોતે જ છે તેનો લક્ષ થતો નથી. મોહ છૂટતા નિસ્વરૂપમય દશા સહજ છે. શ્રીમદ્જીનો એક અદ્ભુત નિર્ધાર જોવા મળે છે, લખે છે : “હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય.” આમ લખીને જૈન સાંપ્રદાયિક પરંપરાની માન્યતાનો અસ્વીકાર કરીને અદૂભૂત શૌર્ય બતાવ્યું છે. કોઈ મોટા આચાર્ય પણ આવું સાહસ કરતા દેખાતા નથી. મોક્ષનું સાચું સ્વરૂપ સમજાય તેને આ વાત સમજવાનું સરળ છે.
શ્રી સૌભાગને એક પત્રમાં લખે છે કે :
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા છે (શુદ્ધાત્મા છે). પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે.” આમ પરમાત્મા શ્રીકૃષ્ણ અને મહાત્મા શ્રીકૃષ્ણ બે એક નથી તે દર્શાવીને એમ કહે છે, જે કોઈ મહાપુરુષે પરમાત્મા જેવા ગુણો
ની&િઇટને પ્રશાબીજ 203 base