________________
પોતામાં પ્રગટાવ્યા હોય, ગ્રહણ કર્યા હોય તેને પરમાત્મા સમકક્ષ સમજવાનું થાય છે. સાધકે મૂળ પરમતત્ત્વનો લક્ષ થવા અર્થે વિવેક રાખીને નિર્ણય કરવો પડે. શ્રીમદ્ ભાગવત ગ્રંથરૂપે શ્રી વેદવ્યાસજીએ પ્રયોજ્યું છે અને તે કાળમાં શ્રીકૃષ્ણ વાસુદેવમાં તેવાં જ ગુણો વ્યક્ત થતાં જોવામાં આવતા તેમનાં નામે કથારૂપે આલેખન થયું. પરમાત્માને નામ, રૂપ વગેરે તો હોય નહીં, માત્ર ગુણોનો પીંડ, શુદ્ધાત્મા છે.
ખંભાતનાં શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને લખે છે :
“નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે.” અદૂભુત સૂત્ર રચના છે. જીવ શંકા રહિત થાય તો નિર્ભય બને છે. ભ્રાંતિને લીધે શંકા હોય તે જ્ઞાન થતા નિઃશંક થઈ શકે અને પરિણામે નિઃસંગતા પ્રગટ થાય છે. મુમુક્ષુએ નિઃસંગ થવું જરૂરી છે. પછી મુમુક્ષુના લક્ષણ બતાવ્યા, આ પત્રમાં લખે છે :
“મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો.” જેને મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રહેતી હોય તેણે જીવનમાં આ બે કારણો સેવવા જોઈએ. સંસાર અને સંગ-પ્રસંગ પ્રત્યેની આસક્તિ છોડવાનો પ્રયત્ન સતત કરવો પડશે અને તેની સાથોસાથ મોક્ષ પ્રાપ્તિનાં જે જે સાધનો પરમપુરુષે ઉપદેશ્યાં છે તે સેવવા પડશે. બાકી માત્ર મુમુક્ષુ કહેવડાવાથી કોઈ લાભ નથી. આ કારણો સામાન્ય મુમુક્ષતા માટે છે, પરંતુ આગળ વધીને તીવ્ર મુમુક્ષુતા માટે તો “અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” તેવો આદેશ પણ આપ્યો છે. મન-વચન-કાયાનાં બધા જ યોગ આ પ્રકારે વિવેકપૂર્વક પ્રવર્તે તેનું સતત ધ્યાન રાખવું પડશે અને સમયે સમયે જે ઉપલબ્ધિ જોવા મળે તેનું પરિક્ષણ, નિરિક્ષણ કરતાં રહેવું પડશે. આ ઉપરાંત ઘણાં સ્થાને મુમુક્ષુઓનાં લક્ષણ કહ્યાં છે, ખાસ કરીને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ખુબ સમજાવ્યું છે. તે ગુણોનું સંકલન નીચેનાં ગીત(કાવ્ય)માં વ્યક્ત કરું છું :
ઇakબે પ્રજ્ઞાબીજ •204 views