________________
લગ્નની સપ્તપદીમાં જેમ સાત પ્રતિજ્ઞા હોય છે તેમ આ સાત પ્રતિજ્ઞા સાધકને લેવાનું આવશ્યક છે. પાયો મજબુત હશે તો તેના ઉપર રચાયેલી ઈમારત સંબંધી ચિંતાનું કારણ રહેતું નથી.
શ્રી સૌભાગને એક પત્રમાં લખેલું છે કે,
“દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છુટવાના કામીને બાંધવો નહીં; બંધાવાનાં કામીને છોડવો નહીં.”
સમગ્ર કર્મસિદ્ધાંતનું રહસ્ય આ પ્રકારે સરળતાથી સમજાવી દીધું. બીજા પત્રમાં પોતાની અંતરંગ દશા શ્રીમદ્જીએ શ્રી સૌભાગને લખતાં કહ્યું, છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યુનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી, સર્વ અનુભવાયું છે.”
છેવટનું કેવળજ્ઞાનયુક્ત) સ્વરૂપ સમજાયું છે, પુરેપુરું સમજાયું છે. અનુભવવામાં એક દેશે(અતિ અલ્પ) બાકી છે. આવી અલૌકિક દશાની પ્રાપ્તિ છતાં કેટલી જાગૃતતા છે ? કેટલી લઘુતા છે ? કેટલી કરુણાં (જગત જીવો પ્રત્યે) છે તે જણાતા મસ્તક વારંવાર તેમના ચરણોમાં ઝૂકી જાય છે. ધન્ય છે, ધન્ય છે.
એક પત્રમાં મુનિશ્રી પ્રભુશ્રી)ને લખે છે :
જીવને બે મોટા બંધન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ વળવાની ઇચ્છા જેને છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની જેની ઇચૂછા છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી.” માનવજીવોની આ બે પાયાની ભૂલો બતાવી છે તે કેટલી યથાર્થ છે તે સહજ વિચારતાં સમજાય છે. સ્વચ્છંદમાં પોતાનો આગ્રહ છે અને તેનો આધાર અજ્ઞાનવિપરીત જ્ઞાન) છે અને પ્રતિબંધમાં લોકલજ્જા આડી આવે છે. અને તે પરિભ્રમણનાં મુખ્ય કારણો છે, મોક્ષ માર્ગમાં મોટો અવરોધ છે.
ની&િઇટને પ્રશાબીજ 202 base