________________
બોધપાઠ-૭૯
0 શ્રીમદજીનો તત્ત્વબોધ-૭
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૨૪માં વર્ષમાં પૂ. શ્રી સૌભાગભાઈને તેમજ પૂ. શ્રી પ્રભુશ્રી લઘુરાજીને ઘણાં પત્રો મારફત આત્મકલ્યાણ થવામાં અતિ ઉપકારી માર્ગદર્શન કર્યું છે. સાથોસાથ ખંભાતનાં અન્ય કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે પણ એવા પત્રો લખાયા છે તે જોઈએ.
પૂ. શ્રી પ્રભુશ્રીજી ઉપરનો પ્રથમ પત્ર સંવત ૧૯૪૭માં કાર્તિક માસમાં લખાયો છે. જેમાં સાધક-મુમુક્ષને આત્મધર્મની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ લક્ષ આપવા જેવી અગત્યની વાત લખી છે તે જોઈએ : “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્વરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્યરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું. સયુરષોનાં લક્ષણનું ચિંતન કરવું. સત્યરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભૂત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.”
હાઇakી પ્રજ્ઞાબીજ •201 tak