________________
બોધપાઠ-૭૮
0 શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૬ 0.
૦= ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આયુષ્યનાં ૨૩માં વર્ષમાં શ્રીમદ્જીનાં પરિચયમાં ત્રણ પરમ જીજ્ઞાસુઓ આવેલા : (૧) પૂ. શ્રી અંબાલાલભાઈ (ખંભાત), (૨) પૂ. શ્રી સૌભાગભાઈ (સાયલા) અને (૩) પૂ. શ્રી પ્રભુશ્રી લલ્લુજી મહારાજ (લઘુરાજ). આગલા વર્ષમાં શ્રી જુઠાભાઈ પરિચયમાં આવેલા, તેમના મિત્ર અંબાલાલ શ્રી જુઠાભાઈનાં નિમિત્તે અને અંબાલાલના નિમિત્તે પૂ. શ્રી. પ્રભુશ્રી લઘુરાજ સ્વામી પરિચયમાં આવેલા. પૂ. શ્રી સૌભાગભાઈને “સુધારસ”ની પ્રાપ્તિ તેમનાં પિતાશ્રીથી થયેલી અને પિતાની આજ્ઞાથી તે સુધારસ સંબંધી જ્ઞાન શ્રીમદ્જીને અર્પણ કરવા માટે શ્રી સૌભાગભાઈ મોરબી (જેતપુર) ગયેલા ત્યારે પરિચયમાં આવેલા. આ ત્રણે જીજ્ઞાસુઓ સાથેનો પત્રવહેવાર આજ વર્ષમાં શરૂ થયેલો તેનાં કેટલાક અંશો આપણે જોઈશું.
શ્રી મનસુખરામ ત્રિપાઠીને એક પત્રમાં લખ્યું છે : “જેન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે ત્યાથી પ્રાપ્ત થાઓ; એ સિવાય મારી અંતરંગ જીજ્ઞાસા નથી.”
ની&િઇટને પ્રશાબીજ • 198 base