________________
સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે.” કોઈ પણ દર્શન, મત, સંપ્રદાય વગેરે ભલે ક્રિયા-કાંડ વગેરેમાં ભિન્ન દેખાતા હોય છે, પણ લક્ષ તો આત્મસાક્ષાત્કાર, આત્મદર્શન, આત્મ અનુભૂતિનું જ હોય છે તે સમજવું જરૂરી છે.
એક લેખમાં પરમાર્થ માર્ગનું રહસ્ય ખુલ્લું કરતા કહે છે : “મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે.” અત્રે જે વસ્તુવિચાર પ્રગટ થયો છે તે વિચારતા સહેજ સમજાય છે કે મહારંભ (આરંભ, સમારંભ), પરિગ્રહ (સંગ્રહ), ક્રોધાદિ, કષાયો વગેરે ત્યાગવાથી અંતરંગમાં જીવાત્માને પરમ આનંદની અનુભૂતિ થાય છે અને આ વૈરાગ્યનું સ્વરૂપ છે, આત્મકલ્યાણનું કારણ છે. ધર્મનાં નામે, પરંપરાગત, આરંભ, સમારંભમાં માનવજીવો રાચતા જોવા મળે છે ત્યારે કેટલું અજ્ઞાન આ કાળે વર્તે છે તે જોઈને ભારે ખેદ થાય છે. અરે આ માનવભવ આમ જ ગુમાવી દેવાનો છે ! સુવિચારથી સતુપ્રવૃત્તિ થાય તો શ્રેયરૂપ બને, બાકી તો લખ્યું જાય તેવું નથી.
ડિજિત્ર પ્રશાબીજ • 197 base