________________
બોધપાઠ-૭૭
0 શ્રીમદજીનો તત્વબોધ-૫ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૨૨માં વર્ષમાં પૂ. શ્રી જુઠાભાઈ ઉપર વધુ કેટલાક પત્રો લખ્યા છે અને કંઈ લેખ પણ લખાયા છે તે જોઈએ :
“જગતમાં નિરામીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે.” સાધક-મુમુક્ષુએ ફરી ભૂલ ન થાય અને યથાર્થ પુરુષાર્થ કરવાનો નિશ્ચય કરી જીવન વ્યતિત કરવું તે જ ઉચિત છે. “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે.” માનવજીવો ધર્મનું રહસ્ય-સ્વરૂપ સમજ્યા વિના જ બાહ્ય પરંપરાગત ધર્મનાં સાધનો કરી, ધર્મ કર્યાનો સંતોષ માને તે ભૂલ છે તેમ સમજાય તો ધર્મ કે જે અંતરમાં આરાધવો જરૂરી છે તેનો લક્ષ થાય. ધર્મ આત્માએ આત્મામાં જ રહીને કરવાનો છે. આત્મવિચાર, આત્મચિંતન અને છેલ્લે આત્મ અનુભૂતિમાં સઘળો ધર્મ સમાયો છે તે સમજવું
ની&િઇટને પ્રશાબીજ •195 base