________________
ધર્મ ઉપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે
શ્રી જુઠાભાઈ પણ લગભગ શ્રીમદ્જીની વયનાં જ હતા, આ પત્રથી પોતાનાં પરમાર્થ સંબંધી સ્પષ્ટ વિચારો વ્યક્ત થયા છે, અને કોઈ પણ સાધકને પાયાની સમજ આપે છે.
એક અન્ય લેખમાં લખે છે કે :
વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રીયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.”
માનવભવ અનંતવાર મળ્યો છે પણ મુક્તિ મળી નથી તેનું કારણ ઉપરોક્ત ગુણોનો અભાવ છે તેમ સમજાય છે. શ્રી તીર્થકરનો યોગ થાય, બોધ-શ્રવણ થાય, વ્રત-જપ-તપ બહુ પ્રકારે થાય કે સંસાર ત્યાગ કરી સન્યાસ લે તો પણ ઉપરોક્ત ગુણો પ્રગટે નહીં ત્યાં સુધી કોઈ સાધન કાર્યકારી થવાનાં નથી તે વાતનો નિશ્ચય રાખવો પડશે. સાધક માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું લક્ષ રહે તે વધુ ઉપકારી છે. યોગ્યતા વિના સફળતા નથી તેમ સમજાય છે.
%e0%eત્ર પ્રશાબીજ 190 toઇટાઇટ: શિ