________________
જે કાળમાં યુવક-યુવતી પરસ્પરનું મુખ પણ જોવા ન મળે અને વડીલો નક્કી કરે તે માન્ય રાખી લગ્નથી જોડાવાનું થતું તે કાળમાં પોતાનાં વિચાર બનેવી મારફત વ્યક્ત કર્યા છે, જેમાં કુટુંબમાં સ્નેહભાવ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે.
આ અરસામાં પોતાના કાકાજી સસરા શ્રી રેવાશંકરને લખ્યું “ક્ષણભંગુર દુનિયામાં સતુપુરુષોનો સમાગમ એજ અમુલ્ય અને અનુપમ લાભ છે.” આ તેમનો પરમાર્થ પ્રેમ વ્યક્ત કરે છે.
મોક્ષમાળા ગ્રંથનાં છાપકામ માટે ૧૭-૧૮માં વર્ષમાં અમદાવાદ જવાનું થયેલું ત્યારે બે યુવાન ભાઈઓ ઉજમસી તથા જુઠાભાઈ તેઓશ્રીનાં પરિચયમાં આવેલા. એ બન્નેને ધર્મરૂચિ ઉત્તમ હતી, શ્રી જુઠાભાઈને તો પૂર્વનાં કોઈ ઋણાનુબંધથી શ્રીમદ્જી પ્રત્યે અહોભાવ અને ભક્તિભાવ પ્રગટ થયેલો જેથી તે ભાઈઓ અને શ્રીમદ્જી વચ્ચે પત્રવહેવાર રહેતો હતો. પ્રથમ પત્ર શ્રીમદ્જીનો જુઠાભાઈ ઉપર આ વર્ષમાં લખાયેલો છે જેમાં લખે છે : “તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. ગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી... જો, એક ભવ આત્માનું રૂડું થાય તેમ કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે.”
જીવાત્માની આ ભૂલ માનવજીવોને લક્ષમાં આવતી નથી તેથી પરિભ્રમણ થયા જ કરે છે, અંત આવતો નથી. આ ભૂલ બતાવી છે અને ઉપાય પણ બતાવ્યો છે. જેમાં સંસારનું મૂળ કારણ અને તે કારણ છેદવાનો ઉપાય (આત્મલક્ષી બતાવીને ધર્મનો મર્મ બતાવી દીધો છે. વળી લખે છે : “જ્યાંત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ મારો ધર્મ છે અને તે તેમને અત્યારે બોધી જઉં છું... વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે; તે પણ કહી જઉં છું.” વધુમાં ભલામણ કરે છે.” આત્મભાવમાં સઘળું રાખજો, જગતનાં કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રમાં કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી.” - “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. દેહ જેનો
ની&િઇટને પ્રશાબીજ •193 base