________________
બોધપાઠ-૭૫
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૩
Ø ી ી
પરમ પૂજ્ય દેવ શ્રીમદ્ભુનાં ૧૮માં અને ૧૯માં વર્ષનાં કોઈ લેખ ઉપલબ્ધ નથી. ૨૦માં વર્ષમાં તેમનો વાસ મુંબઈમાં રહ્યો હતો. આ વર્ષમાં “મહાનીતિ” શિર્ષક સાથે ૭૦૦ વચનો લખ્યા છે જે સંસારી જીવોને સદાચારની સમજ આપે છે અને માનવજીવોનાં વિચા૨ અને વર્તન કેવા હોવા જોઈએ તેની સાદી-સીધી ઉપયોગી સમજ આપી છે જે તેમની લઘુ વયમાં રહેલી પરિપક્વતાનાં દર્શન કરાવે છે. કેટલાંક વચનો જોઈએ :
૧. “સત્ય પણ કરુણામય બોલવું.”
૨. “બાર દિવસ પત્ની સંગ ત્યાગવો.” જેનો ગૃહવાસ હજું તો શરૂ જ થયો નથી તેનો આવો વિચાર આશ્ચર્યકારી છે.
૩. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.’’
૪. “અસત્ય ઉપદેશ આપું નહીં.”
૫. “સર્વ-પ્રાણીમાં સમભાવ રાખું.”
૬. કોઈ દર્શનને નિંદુ નહીં.”
૭. વૈરભાવ કોઈથી રાખું નહીં.”
84848 પ્રશાબીજ * 189 $#CKGK:®