________________
૮. “સમભાવથી મૃત્યુને જોઉં.” ૯. “ગુરુનો ગુરુ બનું નહીં.” ૧૦. “સર્વ પ્રકારની ક્ષમાને ચાહું.” ૧૧. “આત્માને પરમેશ્વર માનું.” ૧૨. “તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું.” ૧૩. “કાયાને નિરપરાધી રાખું.” ૧૪. “નીતિ વિના સંસાર ભોગવું નહીં.” ૧૫. “ક્ષમાપના વગર શયન કરું નહીં.” ૧૬. “પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં.” ૧૭. “સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું.” ૧૮. “ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.” ૧૯. “મહાપુરુષનાં આચરણ જોવા કરતા તેનું અંતઃકરણ જોવું.” ૨૦. “ગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ.”
આવા અનેક વચનો યુવાવસ્થામાં લખાયા છે તે તેમની પ્રૌઢતા પીઢતા) દર્શાવે છે. વચનો આત્મસાત્ કરવા યોગ્ય છે.
શ્રીમદ્જીએ ૨૦માં વર્ષનાં અંતભાગમાં એક પત્ર લખતા એમ જણાવ્યું છે કે “હું બીજો મહાવીર છું.” અર્થાત્ જે પ્રભુ મહાવીરે જે આત્મસાત કર્યું, સિદ્ધિ પ્રાપ્ત કરી તે પ્રાપ્ત કરવાની ક્ષમતા આ આત્મામાં છે તેની પ્રતીતિ તેમને વર્તે છે. આ વચનો કંઈ અજ્ઞાનદશામાં લખાયા નથી, બેહોશીમાં પણ લખાયા નથી. અહંભાવ પ્રેરીત પણ નથી તે વાત બરાબર લક્ષમાં રાખવાનું ખૂબ જ જરૂરી છે. અન્યથા જ્ઞાનીની વિરાધનાનો દોષ થવાની સંભાવના રહેલી છે માટે સાવધાની રાખવી જરૂરી છે.
ની&િઇટને પ્રશાબીજ • 1so base