________________
૫. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો.” ૬. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો.” ૭. “કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા.” ૮. પરહિત એજ નિજહિત સમજવું.”
૯. “પરદુઃખ એ પોતાનું દુ:ખ સમજવું.” ૧૦. “સુખદુ:ખ એ મનની કલ્પના છે.” ૧૧. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” ૧૨. “વિવેક બુદ્ધિથી સઘળું આચરણ કરવું.” ૧૩. “ધર્મકાર્યમાં વૃત્તિ રાખવી.” ૧૪. “જીતેન્દ્રિય થવું.” ૧૫. “પરનિંદા એ જ સબળ પાપ માનવું.” ૧૬. “જગતમાં આદરવા જેવું શું છે ? – સદ્ગરનું વચન.” ૧૭. “આત્માને હિતકારી એવી બારભાવનાઓનું ચિંતન કરું છું.” ૧૮. “પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને;
પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને; નિરાગી મહા શાંત મૂર્તિ તમારી,
પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી.” ૧૯. “વચનામૃત વીતરાગના, પરમ શાત રસ મૂળ;
ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ.” ૨૦. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”
ઇ%e0%e04 પ્રશાબીજ - 184 BAટાઇટ®િ