________________
બોધપાઠ-૭૩
0 શ્રીમદ્જીનો તત્વબોધ-૧ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમકૃપાળુદેવ શ્રીમદ્જીને સાત વર્ષની વયે પૂર્વનાં કેટલાંક ભવોનું સ્મરણ થયેલું, જેમાં એક ભવમાં પ્રભુમહાવીરનાં શિષ્ય હોવાનું લક્ષમાં આવેલું, આ વખતથી વૈરાગ્યની ધારા પ્રગટ થઈ જે ઉત્તરોત્તર વધતી ચાલી. કેટલુંક લેખનકાર્ય થયું છે જે ૧૬ વર્ષની વય સુધીમાં જે લખાયું તે પ્રથમ ભાગરૂપે છે. તે પૈકી કેટલાક વચનો અદ્ભુત છે તે જોઈએ : ૧. પુષ્પમાળા : “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા.”
મોહનિદ્રાથી મુક્ત થયા, જ્ઞાન પ્રકાશ વ્યાપી ગયો, જાગૃત થયા. ૨. “મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે.” ૩. જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મને તે સદાચાર
સેવજે.” ૪. “બ્દોષને ઓળખી દોષને ટાળવા.”
ડિજિત્ર પ્રશાબીજ • 180 bite: