________________
બોધપાઠ-૭૪
~~~~~~~~~~~~~~~~~~~
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૨૦
શ્રીમદ્જીનાં જીવનનાં ૧૭માં વર્ષે લખાયેલા બોધવચનો તેમની વધતી આત્મદશા દર્શાવે છે. તેનો લક્ષ કરીએ :
૧. ભાવનાબોધ લઘુગ્રંથની રચના અને મોક્ષમાળાનાં બાલાવબોધનાં ૧૦૮ પાઠની અદ્ભુત રચના અલ્પકાળમાં કરી જેમાં તેમનું પૂર્વનું યોગબળ જણાઈ આવે છે.
I
૨. ભાવનાબોધમાં જૈન માર્ગની સર્વસંમત બારભાવનાઓ જે વૈરાગ્ય પ્રેરક છે તેનું સુંદર અને સચોટ માર્ગદર્શન પોતાનાં જ શબ્દોમાં સુંદર, રૂચિકરશૈલીમાં થયું છે. કેટલાક વચનો બહુજ પ્રેરક છે તે જોઈએ :
I
“બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, મુક્તિ એટલે સંસાર શોકથી મુક્ત થવું.’
સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે.’’
NKAKE પ્રશાબીજ * 185 $#C#IK®