________________
પરમપદ તે સિદ્ધપદ-મોક્ષપદનું લક્ષ રાખી તેનું જ ધ્યાન ધરે છે. જો કે તે માટેનું સામર્થ્ય કંઈક અંશે ઊણું છે તેવી સભાનતા સાથે હાલનો મનોરથ - અભિલાષા જ સેવવાનું થાય છે, પરંતુ પ્રભુ આજ્ઞાએ એ પદની પ્રાપ્તિ થશે જ એવી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મનમાં દઢ કર્યો છે.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.”
દેહાધ્યાસ છોડી, દેહભાવથી મુક્ત થઈને જે નિજસ્વરૂપમાં સ્થિતિ કરી નિગ્રંથ મુનિ અવસ્થા યથાર્થ ધારણ કરે છે તે ભવઅંતનો (મોક્ષનો) ઉપાય
જબ જાન્યો નિજરૂપ કો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજરૂપકો, સબજાન્યો સો ફોક.”
જેણે નિજઆત્માને જાણ્યો તેણે સર્વલોક જાણી લીધો અને નિજઆત્મા નથી જાણ્યો તેનું અન્ય સર્વ જાણ્યું તે નિરર્થક હોય છે.
%e0%eત્ર પ્રશાબીજ •179 કઇટાઇટ: શિ