________________
“પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.”
જીવાત્માને જન્મથી જ દેહ ઉપર દ્રષ્ટિ રહ્યાથી, “દેહ તે હું” એવી ધારણા હતી અને તેથી દેહમાં પ્રિતી રહી, આ અજ્ઞાનનું ભાન બોધની પ્રાપ્તિ થતા થયું. દેહ ઉપરનો રાગ છૂટી ગયો.
બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન.” આત્મા જ્યાં સુધી અભાન-મુછભાવ, બેહોશીમાં છે ત્યાં સુધી જ કર્મબંધ થાય છે.
ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, વળી સ્વચ્છંદને પ્રતિબંધ.” મૂળ મારગ સાંભળો જિનનો રે”
હે, ભવ્ય જીવાત્મા સ્વચ્છેદ અને પ્રતિબંધનો દોષ તજીને સદ્દગુરુનો બોધ પામવો એ જિનનો મૂળ માર્ગ છે.
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જેવી તત્ત્વસભર ગાથાઓ “અપૂર્વ અવસર કાવ્ય રચનામાં છે, સર્વસંગ પરિત્યાગની ભાવના કરીને ચૌદ ગુણસ્થાનકની યાત્રાની ભાવના કરે છે તે શ્રીમદ્જીનો અદ્ભુત વૈરાગ્ય ભાવ વ્યક્ત કરે છે સાથે પૂર્ણ વીતરાગ દશા આરાધીને કેવળજ્ઞાન દશા પ્રાપ્તિની અભિલાષા પણ વ્યક્ત કરી છે અને સિદ્ધપદનો નિર્ધાર પણ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે, જેમ કે :
“એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું, ધ્યાન મેં; ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો;
પ્રભુ આજ્ઞાએ થાશું, તે જ સ્વરૂપ જો.” હાઇakી પ્રજ્ઞાબીજ 178 take