________________
બોધપાઠ-૭૧
(શ્રીમજીની અલૌકિક ગીત-ગાથાઓ-૧ (o
શ્રીમદ્ રાજચંદ્રદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી આ દુઃષમકાળનાં માનવજીવોને અદ્દભુત-અલૌકિક મહા મૂલ્યવાન ભેટ આપી છે, તો જે માનવજીવોને આ મહાશાસ્ત્રમાં પ્રીતિ થઈ છે, ભક્તિ અને શ્રદ્ધા પ્રગટી છે અને યથાશક્તિ તેને અનુસરી આત્મકલ્યાણ કરી રહ્યા છે તે પણ ધન્ય છે. ખરેખર આ મહત પુણ્યોદય સમજવો ઘટે છે, ભાગ્ય ખુલી ગયું છે તેમ સમજીને પ્રમાદ તજીને માનવ જીવનને સફળ કરી લેવાનો આ અણમોલ અવસર રખેને ચુકાય જાય નહીં તેની પૂરેપૂરી સાવધાની રાખવાનું અતિ આવશ્યક માનવું રહે છે.
શ્રીમદ્જીએ બીજી કેટલીક કાવ્ય રચનાઓ દ્વારા પણ ઘણો-ઘણો બોધ કર્યો છે, તેમાંથી કંઈક ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કરું છું.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.”
ઇAિZA પ્રશાબીજ •174 backઇ8િ