________________
ભૌતિક સુખ-દુઃખ પૂર્વ કર્મનું પરિણામ છે, જ્ઞાની કે અજ્ઞાની સર્વને ભોગવવું પડે છે, પણ ભોગવતા સમયે જ્ઞાની સમતાભાવે ભોગવે અને અજ્ઞાની રડતો રહીને ભોગવે છે, આ જ્ઞાની-અજ્ઞાનીનો ભેદ છે.
મંત્રતંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.’’
પરિણામે જે પાપનું કારણ છે તે મંત્ર-તંત્ર-ઔષધનું સેવન અજ્ઞાની જીવનું સ્વરૂપ છે. પરમ ઔષધ તો વીતરાગ વાણી જ છે.
જન્મ, જરાને મૃત્યુ, મુખ્ય દુઃખનાં હેતુ; કારણ તેના બે કહ્યાં, રાગ-દ્વેષ અણ હેતુ.”
જીવાત્માનું મુખ્ય દુઃખ જન્મ-જરા-મરણ છે, તે સર્વનું કારણ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ પણ ખાસ હેતુ વિના જ જીવ કરે છે.
છે.
“જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર: એ ભાવે શુભભાવના, તે ઉતરે ભવ પાર.”
આત્મજ્ઞાન, સ્વસ્વરૂપનું ધ્યાન, જગત પ્રત્યે વૈરાગ્ય ભાવ અને ઉત્તમ વિચાર યુક્ત શુભભાવમાં સ્થિતિ ભવપાર ઉતારે છે.
“ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન.’’
શ્રી કેવળી ભગવંતોએ સ્વપર દયા જેવો બીજો ધર્મ નથી તેમ કહ્યું
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.’’ પુષ્પપાંખડીથી લઈને નાના-મોટા કોઈ પણ જીવ દુભાય નહીં તેની સાવધાની રાખવાની શ્રી જિનેશ્વરની આજ્ઞા છે.
“શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.’’
ØKGK8 પ્રશાબીજ + 175 KVKVK |