________________
આમ શ્રી સદગુરુ પ્રત્યે અહોભાવ જેને વેદાય છે તે શિષ્ય સદ્ગુરુને વચન આપે છે :
“આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધિન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”
- ગાથા ૧૨૬. આમ શિષ્ય શ્રી સદ્દગુરુનાં ચરણમાં સર્વભાવ અર્પણ કરીને વર્તવાની પ્રતિજ્ઞા કરે છે. ધન્ય છે આવા ગુરુને અને આવા શિષ્યને. આ જોગાનુજોગ એમને એમ થતો નથી, મહતુ પુણ્યનાં ઉદયથી આવો યોગ બને છે.
પૂર્ણપુણ્યનાં ઉદયથી, મળ્યો સદ્દગુરુ યોગ; વચન સુધા શ્રવણે, તા થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” શાસ્ત્રો જેને કાળલબ્ધિ કહે છે તે આવો યોગાનુયોગ છે. પૂર્વનાં મહતુ પુણ્ય વિના આવો યોગ મળતો નથી. જેમ સ્વાતિનક્ષત્રમાં મેઘ વરસે મેઘ બિંદુ ઝીલવા માટે એ સમયે માછલી દરીયાની સપાટી ઉપર આવે અને તેનું મુખ ખુલ્લું હોય અને મેઘબિંદુ મુખમાં આવે તે મોતી બને. કેટલી બધી કઠીન શરતો છે. આવું અહીં પણ છે.
મહાઆત્મજ્ઞાની સદ્ગુરુ પણ સમર્થ છે તે કહે છે :
એક સતુપુરુષને શોધીને, સર્વભાવ તેનાં ચરણમાં અર્પણ કરીને વર્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આવો ગુરુ-શિષ્યનો યોગ અનેકનું કલ્યાણ કરે છે.
ની&િઇટને પ્રશાબીજ •173 base