________________
બોધપાઠ-૬૯
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૭ 0 =૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું હાર્દ, મર્મ આ મોક્ષનાં ઉપાયમાં રહેલું જણાય છે. શ્રીમદ્જીએ નિષ્કામ કરુણા કરીને સચોટ, મોક્ષ ઉપાય ગાથા ૯૭થી ૧૧૮ એટલે કે ૨૨ ગાથા વડે લંબાણપૂર્વક દર્શાવ્યો છે. જે મોક્ષાર્થી સાધકને ખૂબખૂબ સહાયક અને ઉપકારક છે. જે કંઈ વિટંબણા છે તે દુર થઈ શકે તેવી તેની તાકાત દેખાઈ આવે છે. ધીરજથી અને શાંત ચિત્તથી વિચારવાનું ખૂબ જ જરૂરી છે.
“પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.”
– ગાથા ૯૭ હે, શિષ્ય પાંચ પદની તને પ્રતીતિ થઈ છે, તારી શંકા નિર્મૂળ થઈ છે તે પ્રકારે આ મોક્ષોપાયની યથાર્થ સમજણ આવ્યું તને અવશ્ય પ્રતીતિ થશે જ. પાંચ પદ જેને બરાબર સમજાયા છે તેને આ પદ પણ સમજવાનું સરળ છે તેવો વિશ્વાસ શ્રીગુરુ આપે છે અને પછી મોક્ષોપાય બતાવતા કહે છે તેના મુખ્ય મુદ્દા આપણે વિચારવા પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે વિચારમાં આવી શકે છે.
ની&િઇટને પ્રશાબીજ •167 base