________________
પ્રવર્તે છે, ઘણાં દર્શનશાસ્ત્રો છે અને બધાંજ ભિન્ન-ભિન્ન મોક્ષનો માર્ગ બતાવે છે, તેમાં સાચું શું સમજવું ? ઉપરાંત કોઈ જાતિ કે વેષનો આગ્રહ રાખે છે. આમ સાચો ઉપાય શું છે તે સમજાતું નથી. જેથી મોક્ષનો કોઈ ઉપાય હોય તેમ લાગતું નથી. જો આપ મને સદૂઉપાય બતાવો તો આપનો મહાઉપકાર માનું છું.
અત્રે શિષ્યની જે મુંઝવણ છે તે લગભગ બધાંજ ધર્મમાર્ગમાં પ્રવર્તતા સાધકની હોય છે. ધર્મને નામે ધર્મગુરુઓમાં જ અનેક પ્રકારે મતભેદ વર્તે છે. વેશ-ચિન્હ-ઉપકરણો-ક્રિયા વગેરે પણ સૌ પોતાના આગ્રહથી કરે છે, ક્યાંય એક મત થતા નથી. અનુકુળતા મુજબ સમયે-સમયે ફેરફાર પણ થતા જોવાય છે. આ બધું જોઈને સાધક, મુમુક્ષુને વિટંબણાં થઈ આવે તે સ્વાભાવિક છે. વળી જેની પાસે જઈને પુછે તે પોતાનો મત જ આગળ ધરીને તેજ સાચો છે તેવો આગ્રહ રાખે અને જીવને તો શાસ્ત્રજ્ઞાન હોતું નથી કંઈ શંકા થાય તો સમાધાન આપવાને બદલે ભય બતાવે કે શાસ્ત્રમાં શંકા કરશો તો નરક જેવી ગતિમાં જવું પડશે. આવા ભયથી આશ્રિત, અનુયાયી ગતાનુગત, ઓઘેઓઘે ક્રિયાકાંડ કર્યા કરે છે તેમાંથી તેને શું પ્રાપ્તિ થાય ? ક્યારેક તો આવા કારણે માનવજીવો લગભગ નાસ્તિકપણે વર્તતા થાય છે. આ કેવું દુર્ભાગ્ય છે ? માનવભવમુક્તિનો અવસર છે તે વ્યર્થ જવા દેવો ?
%e0%ઇ પ્રશાબીજ 166 કતાદિષ્ટિ