________________
બોધપાઠ-૬૮
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૬ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માનાં પાંચ પદની સુંદર, તાત્ત્વિક, તાર્કિક ચર્ચા કર્યા બાદ, જીવનું અંતિમ ધ્યેય જે મોક્ષ છે તેની પ્રાપ્તિનો ઉપાય છઠ્ઠા પદમાં સંક્ષેપમાં છતા, જરા ઉપયોગ રાખ્યાથી સરળતાથી સમજાય તેવી શૈલીથી, શ્રીમદ્જીએ કૃપા કરી દર્શાવ્યો છે, તે માટે ગાથા ૯૦થી ૯૬માં શિષ્યની મોક્ષનો ઉપાય જાણવાની જીજ્ઞાસા જણાય આવે છે. અત્રે શિષ્યની યોગ્યતા જણાઈ આવે છે.
“હોય કદાપિ મોક્ષ પદ, નહીં અવિરોધ ઉપાય; કમ કાળ અનંતનાં, શાથી છેદ્યા જાય.”
- ગાથા ૯૨ હે ભગવંત મોક્ષ પદ પ્રાપ્તિનો મારો લક્ષ છે, પણ આશંકા થાય છે કે અનંતકાળનાં અનંતકર્મો ભોગવતા અંનતકાળ પણ જોઈએ, તે જોતા મોક્ષ ભલે હો, પણ ઉપાય જણાતો નથી. વળી શિષ્ય કહે છે કે ઘણાં ધર્મમત
688ી પ્રજ્ઞાબીજ • 165 b&ાઇ છે.