________________
શ્રીમદ્જી આ પ્રશ્નનું સમાધાન કરતા લખે છે કે “કર્મ જડ છે તે જીવને વળગતું નથી, પરંતુ જીવ ભ્રાંતિમાં પડીને કલ્પના કરે છે તે ચેતનરૂપ છે અને તે કલ્પનાને અનુસરીને તેનાં વીર્યસ્વભાવની ર્તિ થાય છે, પરિણામે જડ કર્મની વર્ગણા પોતે (ચેતન) ગ્રહણ કરે છે.” આમ પોતે જ પોતાથી બંધાય છે. જીવને બાંધનારું કોઈ નથી, ઈશ્વર પણ જીવને બાંધતો નથી કેમ કે ઈશ્વર કોઈ જીવને બંધનમાં મૂકે તેથી તેને શો લાભ થાય ? તે વિચારવા જેવું છે. વળી ઈશ્વરી સિદ્ધાંત પણ એમ કહે છે કે જે જીવ અન્યને બંધન કરે છે તે પોતે જ કર્મબંધથી બંધાય છે. તો આવું ઈશ્વર કરી શકે ?
જીવાત્માએ અજ્ઞાનવશ જે શુભાશુભ કર્મ બાંધ્યા છે તેનો કર્તા પણ પોતે જ છે અને ભોક્તા પણ પોતે જ છે. કોઈનાં કર્મ કોઈ ભોગવે તે તો અન્યાય છે. ધર્મનાં માર્ગે અન્યાયને સ્થાન કેમ હોય ? ન્યાય-નીતિનો બોધ આપનાર ઈશ્વર જ જો અન્યાય કરે તો પછી તેનું ઈશ્વરપણું ક્યાં રહ્યું ?
આત્માર્થી સાધકે આ વાત બરાબર સમજીને અજ્ઞાનવશ થતી કર્મ બંધની ક્રિયાથી બચવું અને પરિણામે તેનાં ફળ ભોગવવાથી પણ બચવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ બની જાય છે. જ્ઞાન પ્રાપ્તિ માત્ર ઉપાય છે. જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી જ. સમ્યક જ્ઞાન સાચો ઉપાય છે.
%e0%ઇ પ્રશાબીજ 162
કિટિ9િ