________________
બોધપાઠ-૬૫
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૩ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી ગુરુ શિષ્યની આ શંકાનું નિવારણ ગાથા ૭૪થી ૭૮માં રૂડી રીતે કરે છે. પ્રશ્ન ઘણો પેચિદો છે. વળી ધર્મ પુરુષાર્થ પણ આ કર્તા-ભોક્તાની અવસ્થાને સમજવામાં છે અને તેનાં નિવારણમાં છે. પ્રથમ બે પદ જે આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ દર્શાવે છે તે માટે કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. જીવ તેનો સ્વીકાર કરે કે ન કરે તો પણ આ બે પદની અવસ્થા શાશ્વત છે. જીવે સર્વથા આ ભૌતિક સુખ-દુઃખનાં કારણરૂપ જીવનો કર્તાભાવ અને ભોક્તાભાવ સમજવાનો છે અને સમજીને જે કંઈ બન્ને ભાવ સંબંધી દોષ જાણવામાં આવે, તેનું નિવારણ કરવાનો પુરુષાર્થ કરવો જ પડશે, તો જ પરિભ્રમણનો અંત આવશે. જન્મ-મરણ થયા જ કરે છે તેમાંથી મુક્ત થવાશે.
“જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ.”
– ગાથા ૭૫
હાઇakી
પ્રજ્ઞાબીજ 159
k 9.