________________
બોધપાઠ-૬૪
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧ર
0 909999999999 = = = = = =
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માર્થી શિષ્યને પોતાના અસ્તિત્વનું અને નિત્યતાનું ભાન કરાવ્યું અને શિષ્ય તે બાબતમાં નિશંક પણ થયો છે. આમ જોઈએ તો શિષ્યમાત્ર નિશંક જ નહીં પણ નિશ્ચિત પણ થવો જોઈએ કે નિત્યતા છે તો પછી મૃત્યુનો ભય રહેતો નથી, જેને મરણ નથી તેને શો ભય હોય ? પરંતુ વિવેકી અને બુદ્ધિમાન એવા શિષ્યને વિચાર થાય છે કે વર્તમાન જીવનમાં સુખ અને દુઃખ બને અનુભવમાં આવે છે અને દુઃખ તો ઇચ્છતો નથી તો શા માટે તેનો અનુભવ થાય છે અને સુખ ઇચ્છવા છતા તે નિત્ય મળતું નથી તેવો અનુભવ કેમ થાય છે ? આનું કોઈ કારણ જો સમજાય તો શિષ્ય તેનો ઉપાય કરવા તત્પર છે. શિષ્યની શંકા ગાથા-૭૧થી ૭૩માં દર્શાવી છે.
“ક જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ”
- ગાથા ૭૧
Aઇkત્ર પ્રજ્ઞાબીજ •157 2028