________________
ચેતનથી જડની ઉત્પત્તિ થતી હોય તેમ ક્યારેય કોઈએ જાણ્યું નથી તો પછી ચેતન, દેહમાં કેવા પ્રકારે ઉત્પન્ન થાય ? કોઈ પણ કારણ ચેતનની ઉત્પત્તિનું લક્ષગત થતું નથી જેથી ચેતન-આત્માનું અસ્તિત્વ, દેહનાં ઉત્પન્ન થયા પહેલાંથી જ હોવું જોઈએ અને કોઈ કારણે તેનો દેહ સાથે સંબંધ થયો છે. આમ આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. વળી પૂર્વ જન્મ અને પુનઃજન્મનો સુક્ષ્મ વિચાર કરતાં તેનું હોવાપણું પણ સમજવામાં આવે છે. કોઈ જન્મથી શાંત પ્રકૃતિનો મનુષ્ય છે તો કોઈ અતિ ચંચળ પ્રકૃતિવાળો જોવા મળે છે. વળી તે બંને એક જ માતા પિતાનાં સંતાનો હોવા છતાં આવું કેમ ? તે વિચારતા જીવની નિત્યતાનો લક્ષ થઈ શકે છે. પૂર્વસંસ્કારથી આવી ભિન્ન પ્રકૃતિ હોવી ઘટે છે, તે વિચારતા પણ જીવની નિત્યતા સિદ્ધ થાય છે. અને સિદ્ધાંત સ્થાપિત થાય છે કે,
કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.” જડ કે ચેતન બંને અનાદિ છે તેનો કોઈ કાળે સર્વથા નાશ થતો જ નથી. નાશ થાય તો તે કેમાં ભળે છે તે શોધ કરે તો સમજાશે કે આમ તો બનતું નથી. માટે નિત્યતા સમજાય છે.
%e0%ઇ પ્રશાબીજ 156
કિટિ9િ