________________
હોય તો તે આત્મજ્ઞાન કરાવી શકે નહીં તેમ સમજીને આવા ગુરુનો આશ્રય કરતો નથી અને સાથો સાથ સાચા આત્મજ્ઞાની ગુરુની શોધ કરતો રહે છે, તે વાત ગાથા-૩૭ માં કહે છે,
“એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.” આવા આત્માર્થી સાધકનો નિશ્ચય એક જ છે કે આત્માર્થ યથાર્થ અને પૂર્ણ પ્રાપ્ત કરવો જ. અને તે માટે સદ્દગુરુની શોધ કરી સર્વભાવ અર્પણ કરી, કેવળ આજ્ઞાધીન થઈને વર્તવાની તેની નિષ્ઠા છે અને આત્માર્થ પ્રાપ્ત થવા માટે પોતે પુરો સજ્જ થાય છે તે ગાથા-૩૮ માં જોવા મળે છે.
કષાયની ઉપશાંતા; માત્ર મોક્ષ અભિલાષ;
ભવખેદ, પ્રાણી દયા; ત્યાં આત્માર્થ નિવાસ.” કષાય રહિત થઈને મોક્ષ માટે જ યત્ન કરે છે. સાથે સ્વ અને પર દયાનાં ભાવ સેવે છે અને શક્તિ અનુસાર આચરે છે. આવા આત્માર્થી જીવને સંગુરુનો બોધ પરિણામી થઈ, મોક્ષનું કારણ બની શકે છે. તેનો મોહભાવ નષ્ટ થઈ નિર્વાણ પદને પામે છે, જીવન મુક્ત થાય છે, દેહાતિત પણ થાય છે.
%e0%ઇ પ્રશાબીજ 152
કિટિ9િ