________________
બોધપાઠ-૬૨
( સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૦ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦૦૦==
આત્માર્થી જીવને કેવળ મોક્ષનો જ લક્ષ છે અને તે માટે ગુરુ આજ્ઞાધીન થઈને મોક્ષનો માર્ગ સમજવા માટે કેટલીક શંકાઓ છે, તેનું સમાધાન શ્રીગુરુ પાસે પ્રાપ્ત કરવા માટે વિનમ્રભાવે યાચના કરે છે. અને નિવેદન કરે છે કે મને આત્માનાં અસ્તિત્વ હોવાપણાં)ની શંકા છે. કેમ કે તે જોવામાં આવતો નથી અને તેનું રૂપ-આકાર પણ જણાતા નથી. તો પછી મોક્ષનો ઉપાય શા માટે કરવો ?
શ્રીમદ્જી આત્માનાં અસ્તિત્વની સમજ ગાથા ૪૯ થી ૫૮ સુધી ભિન્નભિન્ન પ્રકારે આપે છે,
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણો ભાન.” અનાદિથી જીવને જ્યારે જે દેહનો સંયોગ થયો છે, તેમાં જ પોતાપણું માન્યાથી, આત્મ વિચાર થયો જ નથી. તે જીવની પ્રથમ અને મોટી ભૂલ છે.
ની&િઇટને પ્રશાબીજ •1ss base