________________
“જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બુડે ભવ માંહી.” આવા મતાગ્રહી માનવજીવો ગમે તેટલા ધર્મ સાધન કરે, પણ યથાર્થ જ્ઞાન તેને પ્રાપ્ત થાય નહીં અને જ્ઞાન વગર જે સાધન કરે તેનું ફળ પણ શું હોય ? હાથમાં તલવાર હોય તેથી યુદ્ધ જીતી શકાતું નથી. યુદ્ધની કળાનું જ્ઞાન, શૌર્ય, શક્તિ વગેરે પણ હોવા જોઈએ. તેવું અત્રે પણ સમજવું ઘટે છે. આવો મતાર્થી પોતે તો ભવસાગરમાં બુડતો રહે છે અને તેવાનો સંગ જેને હોય તે પણ બુડવાનો જ.
મતાર્થી જીવનાં લક્ષણો બરાબર સમજીને સાધકે પોતે સ્વપરિક્ષણ અને સ્વનિરિક્ષણ કરવું અનિવાર્ય છે. અને જો આવા લક્ષણો થોડાઘણાં અંશે પણ જોવામાં આવે તો ત્વરાએ તે દોષ દૂર કરવાનો પ્રથમ પુરુષાર્થ કરવો જોઈએ. મલિન પાત્રમાં દૂધ લઈએ તો જલ્દીથી બગડી જવાનું જ છે. દોષ જોઈ દોષને ટાળવા તેવી જ્ઞાનીની પ્રથમ શિક્ષા છે, તે ભુલવું નહીં. નિર્દોષતા એ ધર્મપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે.
%e0%ઇ પ્રશાબીજ 150
તિદિષ્ટિ