________________
બોધપાઠ-૬૦
.
) સિદ્ધિ-આત્મસિદ્ધિ-૮
722~~~~~~~~~
મતાર્થી જીવનું એક બીજું પણ અગત્યનું લક્ષણ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૩૨માં બતાવ્યું છે :
“નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સ૨ળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય.’
પોતાના મત, માન્યતાનાં કદાગ્રહનાં કારણે તેનો જીવન વ્યવહાર પણ દૂષિત હોય છે. જેમ કે તેનાં કષાય ભાવો જરાપણ શાંત થયા નથી, વૈરાગ્ય કદાચ જોવા મળે તો પણ બાહ્ય વ્યવહારમાં જ દેખાવ પુરતો વૈરાગ્ય હોય, અંતરમાં સાચો વૈરાગ્ય હોય નહીં. વ્યવહારમાં અન્ય જીવો પ્રત્યે સરળતાભર્યો વ્યવહાર પણ ન હોય. મધ્યસ્વભાવ જોવામાં આવે નહીં, અકા૨ણ રાગદ્વેષનાં ભાવ પ્રત્યક્ષ થતા હોય. શ્રીમદ્દજી આવા મતાર્થીનું આ દુર્ભાગ્ય છે તેમ કહે છે. તે યથાર્થ છે. આવા મતાર્થી જીવની દશા કેવી થાય છે તેનું શ્રીમદ્ભુએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા - ૩૦ માં સચોટ દર્શન કરાવ્યું છે,
NAKE પ્રશાબીજ +149 $4CKCK