________________
બોધપાઠ-૫૯
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૭ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦૦૦==
સાધકે જેમ કષાય, સ્વચ્છેદ અને અહંતાભાવથી બચવાનું જરૂરી છે, તેમ મતાર્થથી-સ્વમતનાં આગ્રહથી પણ બચવાનું જરૂરી છે. તે માટે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ ગાથા - ૨૩ માં દર્શાવ્યું છે કે,
“હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યા નિપેક્ષ.”
જેને સ્વમત, માન્યતા અને પરંપરાનો આગ્રહ છે તે મતાર્થી છે. આગ્રહ છૂટે નહીં ત્યાં સુધી આત્મલક્ષ થાય નહીં અને તેથી આત્મકલ્યાણની યોગ્ય પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. જેનું મન ખુલ્લું નથી તે સારી રીતે બોધ ગ્રહણ કરી શકતો નથી. તેને તો પોતાની માન્યતા સાથે જે બોધનો મેળ બેસે તેને જ સ્વીકારે છે. બાકીનું હિતકારી હોવા છતાં સ્વીકારતો નથી.
શ્રીમદ્જીએ મતાર્થીનાં લક્ષણો બતાવ્યા છે. તેમાં એક લક્ષણ ખાસ વિચારવા જેવું છે, તે ગાથા - ૨૮ માં દર્શાવે છે,
હાઇakી પ્રજ્ઞાબીજ 147 take