________________
લક્ષણ છે, ભલે પોતે ગુરુથી પણ વધુ સિદ્ધિ પ્રાપ્તિ કરી હોય તો પણ ગુરુ પ્રત્યે અહોભાવ બની રહે તે જરૂરી છે. શ્રી વીતરાગ જિને આ વિનયને માર્ગ (મોક્ષ માર્ગનું મૂળ કહ્યું છે અને આ વાત સાચા સાધકને સમજાય છે તે સાધકનું સદ્ભાગ્ય છે. કેમકે સિદ્ધિની પ્રાપ્તિથી ઘણું કરીને અહંકાર બહુ પ્રકારે વ્યાપી જતો જોવામાં આવે છે. આ વિનયભાવે અહંકારને પરાસ્ત કર્યો તે જેવી તેવી સિદ્ધિ નથી.
વિનય = વિશેષ નય એવો અર્થ પણ થઈ શકે છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ભિન્નભિન્ન નયનો (અપેક્ષાનો) આશ્રય લેવામાં આવે છે. સાધકે પોતાનાં નિજસ્વરૂપને યથાર્થ જાણવું છે, તો આ વિનય ઉપયોગી છે. મોક્ષની પ્રાપ્તિ દુર્લભ નથી, મોક્ષનાં માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. તેવો જ્ઞાની ગુરુનો અભિપ્રાય છે. આવો દુર્ઘટ મોક્ષ માર્ગ પ્રાપ્ત થવામાં સાધકનો સદ્દગુરુ પ્રત્યે વિનયભાવ હોવો અનિવાર્ય છે તેમ સમજાય છે. વિનયભાવની સિદ્ધિથી કષાયો અને સ્વચ્છેદથી જરૂર બચી શકાય છે.
%e0%ઇ પ્રશાબીજ 146 જિતિદિષ્ટિ