________________
બોધપાઠ-૫૮
o સિદ્ધિ-આત્મસિદ્ધિ-૬ ૦ ನನನನನನನನನನನನನನನನನನನ
સાધકે સ્વચ્છેદનો ત્યાગ કરવા માટે લઘુતાભાવ અને વિનય ગણોનો વિકાસ કર્તવ્ય છે. અહંભાવ હોય તો સ્વચ્છંદની ઓળખ થતી નથી અને તેથી તે છુટી શકતો નથી. અહંભાવથી મુક્ત થવા માટે લઘુતાભાવ ઉપકારી છે. લઘુતાનું વ્યક્તિ સ્વરૂપ વિનય-વિનમ્રતા, સરળતા છે. આ વિનયભાવ સાધકને લક્ષ પ્રાપ્તિમાં બહુ પ્રકારે સહાયકારી થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથા - ૧૯-૨૦ માં શ્રીમદ્જીએ વિનયનું સ્વરૂપ અને મહિમાં બતાવ્યો છે,
“જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છધ્યસ્થ પણ, વિનય કરે ભગવાન.” “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” ઉપકારીનો ઉપકાર ભુલાય નહીં અને સિદ્ધિ પ્રાપ્ત થવામાં જેમનો ઉપકારી બોધ કાર્યકારી થયો છે, તેવા ગુરુ પ્રત્યે વિનય ભાવે વર્તે તે સાધકનું
ઇAિZA પ્રશબીજ •145 bookઇ8િ