________________
બોધપાઠ-૫૬
૦ સિદ્ધિ-આત્મસિદ્ધિ-૪ 6
ನನನನನನನನನನನನನನನನನನನ
શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૭ મી ગાથામાં જણાવે છે કે,
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને શાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” માનવજીવને સદ્દગુરુનાં યોગથી અને અનુગ્રહથી નિજસ્વરૂપનું ભાન થયા પછી, તેનાં ચિત્તમાં સંસારી સંગ, પ્રસંગ, સાધન કે સંબંધો પ્રત્યે મોહ મંદ થતો ન હોય અને તેથી કરી તે પ્રત્યે વૈરાગ્ય પણ ઉદ્ભવતો નથી. વૈરાગ્ય ન થવાથી ત્યાગ પણ થતો નથી. પરિણામે મોહભાવનાં કારણે તેનો સંસાર મજબૂત થતો જાય છે, કર્મબંધ થતો રહે છે અને જન્મમરણ વધારતો જાય છે. આવા જીવને આત્મજ્ઞાન માત્ર કહેવા પૂરતું જ માનવું. કાર્યકારી થતું નથી, મોક્ષનું કારણ પણ બનતું નથી. ઉલ્ટો પોતાને જ્ઞાની માનીને અહંને પોષે
ઇakબે પ્રજ્ઞાબીજ •141 views