________________
ઉપાધ્યાય ભગવંતો, પૂર્વે થઈ ગયા તે સર્વ તીર્થકરો, કેવળીઓ દ્વારા જે ધર્મનું સ્વરૂપ, જીવાજીવનું સ્વરૂપ, મોક્ષમાર્ગનું સ્વરૂપ બોધવામાં આવ્યુ છે તેનો યથાર્થ મર્મ જાણીને જગતનાં માનવ જીવોને સરળ શૈલીથી સમજાવી માર્ગનાં પ્રવાસી બનવા માટે પ્રેરણા આપે છે. તેમનાં ઉપકારને વંદન હો. સાધુ ભગવંતો સાધક અવસ્થામાં પ્રવેશીને આચાર્ય કે ઉપાધ્યાય પ્રત્યે વિનમ્રભાવે તેમની આજ્ઞાનુસાર, કઠિન પરિશ્રમ લઈને ધર્મ આરાધના કરે છે તે અર્થે વંદન યોગ્ય છે. સદ્દગુરુપદે ઘણું કરીને તો દીક્ષિત આચાર્ય, સાધુઓ હોય છે. પરંતુ અપવાદરૂપ ગ્રહસ્થ દશામાં પણ ઉત્તમ જ્ઞાન દશા અને આત્મ સાક્ષાત્કાર (સમક્તિ) પ્રાપ્ત કરીને નિષ્કામ કરુણાંથી સ્વ પર કલ્યાણનાં કારક એવા પરમ કૃપાળુ દેવ, શ્રીમદ્ રાજચંદ્ર દેવને કોટી-કોટી વંદન કરીને પાવન થઈએ એવી મારી-તમારી સૌની ભાવના વ્યક્ત કરું છું.
ની&િઇટને પ્રશાબીજ 14 base