________________
બોધપાઠ-૫૩
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સાધક-સાધના અને સિદ્ધિ(ફળ) પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. સાધક સિદ્ધિનાં લક્ષથી જ સાધના કરતો હોય છે. ક્ષેત્ર વ્યવહારનું હોય કે પરમાર્થનું હોય નિયમ બંનેને લાગુ પડે છે. જેને પરમાર્થનો લક્ષ છે તેવા સાધક માટે સાચી સિદ્ધિ તો એક માત્ર આત્મસિદ્ધિ જ છે. સાધક પોતે આત્મા જ છે. દેહ તો સાધન માત્ર છે અને સિદ્ધિ તો કેવળ પોતે (આત્મા) પોતાને જાણે, સમજે, અનુભવે અને આત્માની કેવળ સુખમય દશાને માટે પુરુષાર્થ કરે તે સાધના. ભૌતિક સુખ-દુઃખ તો પૂર્વ કર્મને આધિન છે, આત્મિક-સુખ સ્વપુરુષાર્થને આધીન છે અને પુરુષાર્થની સાચી દિશા, સાચું સ્વરૂપ અને સાચી રીત જાણ્યા વિના સફળતા મળતી નથી આટલો નિર્ણય સાધકને જરૂર થવો ઘટે છે. જેને આવો નિર્ણય છે તેણે જ્ઞાની પુરુષ, ગુરુ, સશાસ્ત્ર વગેરેથી યથાર્થ સમજણ મેળવવાનું અનિવાર્ય સમજવું. ગમે તેવો મોટો ડૉક્ટર-સર્જન પોતાનું ઑપરેશન જાતે કરી શકે નહીં જ. તેમ શાસ્ત્રનો જ્ઞાતા-પંડિત-વિદ્વાન
ની&િઇટને પ્રશાબીજ •135 base