________________
તે કેવળ ભ્રાંતિ છે. ત્યાં સત્ય તો છે નહીં, માત્ર અભિનય છે તે જાણવા છતાં ક્લેશ-કષાય કેમ?
પાડોશી કોઈ યાચકને સારી ભિક્ષા આપે કે જમાડે અને યાચક યુવાનસશક્ત છે તો શા માટે તેને તમે સહાય કરો છો ? તેમ કહી અંતરાય કર્મ બાંધે છે તે તેને લક્ષમાં આવતું નથી. શું સશક્ત-યુવાન નિઃસહાય ન હોઈ શકે ?
જેની સાથે કોઈ સંબંધ કે લેવાદેવા નથી તેની કોઈ નિંદા કરતું હોય અને પોતે મનમાં રાજીપો કરે, કોઈને નુકશાન થયું હોય તે જાણી ઈર્ષાથી સારું થયું તેવો ભાવ કરે, કોઈનું સુખ જોઈને ઈર્ષા કરે, કોઈની ચાડી ચુગલી કરી લડાવી મારે. આમ અનેક પ્રકારે નાની-મોટી પ્રવૃત્તિ સતત કર્મબંધનું કારણ બનતી રહે છે. તેનો ધર્મની રૂચિવાળા સાધકે જરૂર વિચાર કરવો જોઈએ. થોડી એવી જાગૃતિ રાખવાથી બચી જવાય છે. જેવા સાથે તેવા થવાની વૃત્તિ સાધકને શોભે નહીં. ઉદાર મનથી જતું કરવાથી નિરર્થક કર્મબંધથી બચી જવાય છે. યાદ રહે, ક્રિયાથી કર્મબંધ અલ્પ થાય છે. ભાવ-વિભાવથી વધુ થાય છે.
%e0%eત્ર પ્રશાબીજ 134 toઇટાઇટ: શિ