SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનયથી આત્માને કેવળ શુદ્ધ કહ્યો છે, તેમાં કોઈ જ અશુદ્ધિ નથી પરંતુ જીવ વિભાવભાવમાં પ્રવર્તીને તે શુદ્ધ સ્વરૂપને આવરણ કરે છે. આ આવરણ કર્મનું છે અને કર્મનું કારણ કષાયભાવ છે. રાગ-દ્વેષ એ કષાયનું સ્વરૂપ છે અને રાગ-દ્વેષનું કારણ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનમાં જ્ઞાનરહિત દશા નથી પરંતુ વિપરીત જ્ઞાનદશા છે. અર્થાત્ અસત્ સત્ અને સને અસત્ માને છે. સત્ને સત્ અને અસત્ને અસત્ સમજવા માટે જ્ઞાનીસત્પુરુષનો બોધ થવો તે માત્ર ઉપાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ દરેક કાળમાં, દરેક જીવને મળી શકતા નથી. તેથી પૂર્વાચાર્યોએ બહુ ઉપકાર કરી જ્ઞાનીનો બોધ શાસ્ત્રોમાં ઉપદેશીને જીવોને માર્ગ સ૨ળ કરી આપ્યો છે. જીવમાં-સાધકમાં યથાર્થ પાત્રતા આવ્યાથી સદ્ગુરુનો યોગ સહેજે થઈ આવે છે. કેમકે સત્પુરુષ પણ પોતાને જે પ્રાપ્ત થયું છે તે યોગ્ય જીવને પ્રાપ્ત થાય તેવું હંમેશાં ઇચ્છે છે અને આ જ તેમની અનંતી કરૂણા છે. તેમ સમજાય છે. સાધકે જીવન વ્યવહાર સાવધાનીથી કરવો અનિવાર્ય છે. કર્મબંધનાં કારણોથી દૂર રહીને વ્યવહાર સાંચવતા શીખવું પડશે. બનવાનું છે તે બનીને રહેશે જ તો પછી કષાય શા માટે ? * NKAKE પ્રશાબીજ * 13254AKAK®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy