________________
બોધપાઠ-૫૧
0 કષાય મુક્તિ -3
0
ನನನನನನನನನನನನನನನನನನನ
શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સમ્યક્દર્શનના કારણમાં કષાય મુક્તિનો લક્ષ કરાવ્યો છે તે પ્રત્યેક સાધકે બહુ બહુ પ્રકારે ચિંતવવો જરૂરી છે. આ. શાસ્ત્રની ગાથા ૧૦૮-૧૦૯માં લખ્યું છે :
કષાયની ઉપશાંતતા; માત્ર મોક્ષ અભિલાષ; ભવખેદ, અંતર દયા; તે કહીએ જીજ્ઞાસા.” “તે જીજ્ઞાસુ જીવને, થાયે સદ્દગુરુ બોધ;
તો પામે સમકિતને, વર્તે અંતર શોધ.” આ ગાથામાં કષાય માત્ર ઉપશાંત થવાથી અને સાથે મોક્ષ અભિલાષા રાખ્યાથી જીવની યોગ્યતા આવે છે અને તેવા યોગ્યતાવાળા જીજ્ઞાસું (સતુજીજ્ઞાસુ) સાધકને સદ્દગુરુનો બોધ પરિણમે તો સમકતિની પ્રાપ્તિ થાય છે તેમ પ્રતિપાદન થયું છે - તે ઉપરથી કષાય સર્વથા ક્ષય પામે કે જેના કારણે કર્મબંધ થતો રોકાય તો તેનું ફળ કેવું અદૂભૂત-અલૌકિક હોય તે શ્રદ્ધામાં આવે છે.
ઇ ઇઇમાં પ્રજ્ઞાબીજ •131 sad છે.