________________
બોધપાઠ-૫૦
0 કષાય મુક્તિ-૨ )
9099 9999999 0 0 0 0 0 0
0
આગલા પાઠમાં કષાયની સામાન્ય સમજનો વિચાર થયો. કષાય કોઈ પણ સ્વરૂપે હો, કર્મબંધનું કારણ છે જ. કષાય મંદ-શિથિલ હોય તો કર્મબંધ હળવો થાય છે અને તે વધુ પીડા વિના ભોગવી લેવાય છે. ભારે-તીવ્ર કષાયો સાથે ક્રિયા થવાથી બંધ પણ કઠણ-ભારે થાય છે તેનો ભોગવટો જીવને બહુ પીડા આપે છે અને તે પીડા સહન નહીં થવાથી તુરત નવો કર્મબંધ કષાય ભાવે જ બાંધે છે. આ વિષ ચક્રથી છૂટવું એ સાચો ધર્મ પુરુષાર્થ છે. ભગવાન મહાવીરનાં કાનમાં ખીલા ઠોકાયા તેનું કારણ તિવ્ર કષાયભાવે થયેલું પૂર્વ કર્મ જ હતું. પરંતુ ભોગવતા સમયે પ્રભુવીર સમતાભાવમાં રહ્યા જેથી નવું કર્મ બંધાયું નહીં. જાણે કે ડૉક્ટર ઑપરેશન કરતા હોય અને દર્દી શાંત પડ્યો હોય. જો કે ઓપરેશન સમયે જીવ બેહોશીમાં હોય છે, જ્યારે પ્રભુ તો પૂર્ણ જાગૃત રહીને શાંતભાવે સહન કરે છે તે તેમની સિદ્ધિ અભૂત છે. આ પ્રસંગથી સાધકે પ્રેરણા લેવી ઘટે.
ઇakબે પ્રજ્ઞાબીજ •129 views