________________
પ્રત્યેક જીવ અનેક જીવો સાથે જીવનવ્યવહાર કરતો જ રહે છે અને તે સહજ છે. આવા વ્યવહાર કરતી વખતે પોતાને જે ગમે છે તેમ બીજો જીવ વ્યવહાર ન કરે અથવા પોતાને જે નથી ગમતું તેવો વ્યવહાર બીજો જીવ કરે તે સહન કરી શકતો નથી ત્યારે જ ક્રોધ થઈ આવે છે. ઇચ્છાનુસાર બીજો જીવ માન-પાન ન આપે તો પણ ક્રોધ થાય અને ક્રોધના આવેગમાં જીવાત્મા અન્ય જીવો સાથે જે વ્યવહાર-પ્રતિક્રિયા કરે છે તે ક્રોધ કષાયયુક્ત હોવાથી કર્મબંધ થાય છે. કર્મબંધથી ફરીફરી જન્મ-મરણ કરીને, જ્યારે તે કર્મઉદયમાં આવે ત્યારે તે કર્મબંધનું ફળ ભોગવવું પડે છે અને ત્યારે તે કર્મથી મુક્ત થાય છે. આમ જીવાત્મા કે જેનું અસ્તિત્વ અનાદિનું છે તે આવા કર્મબંધ સતત કરતો જ રહે છે અને સમય આવ્યે ભોગવતો પણ રહે છે. આ પ્રક્રિયા ફરીફરી જીવ કરતો જ રહે છે. અન્ય કષાયો સંબંધમાં પણ જીવાત્મા આ પ્રકારે બંધ અને ભોગવટો કરતો જ રહે છે. ચાર કષાયમાં બળવાન લોભ કષાય છે. લોભવશ અન્ય કષાયો સહેજે થતા રહે છે. પોતાનું બળ ઓછું પડે ત્યાં માયાચાર કરે છે તે પણ કષાયનો જ પ્રકાર છે.
%e0%ઇ પ્રશાબીજ 128
જતિદિષ્ટિ