________________
બોધપાઠ-૪૯
0 કષાય મુક્તિ -૧
)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કષાય શબ્દનો પ્રયોગ વ્યાપક રીતે થયો છે. અન્ય દર્શનમાં એટલું વ્યાપકપણું જોવામાં આવતું નથી. કષાય મુક્તિ વિના કર્મબંધથી મુક્ત થવાતું નથી અને કર્મથી સર્વથા મુક્ત થયા વિના કેવળ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષાર્થી સાધકે સર્વપ્રથમ કષાયોનું સ્વરૂપ, કારણ અને પરિણામ જાણવાનું અનિવાર્ય સમજવું.
કષાયનાં મુખ્ય ચાર પ્રકાર ખૂબ જાણીતા છે તે છે, ક્રોધ, માન, માયા અને લોભ. જીવનાં મૂળભૂત સ્વભાવમાં આમાંનો કોઈ પણ કષાય નથી, પરંતુ સ્વભાવથી જીવાત્મા છૂટો પડીને વિભાવમાં ઉપયોગ જોડે છે ત્યારે જે-જે ભાવ થાય છે તે કષાયભાવ છે. આવા કષાયભાવ વડે જીવાત્મા મન-વચનકાયાથી જે ક્રિયા કરે છે તે સર્વ કર્મબંધનું કારણ થાય છે. શ્રીમદ્જી લખે છે કે “કષાય વગર બંધ નથી.” અર્થાતુ ક્રિયા તે બંધ નથી પરંતુ કષાયયુક્ત ક્રિયાથી કર્મબંધ થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •127 base