________________
છોડતો નથી – અહંકાર તેને રોકે છે. પોતાની જિદ્દને સંતોષવા માટે હઠ્ઠાગ્રહ કરતો રહે છે. ઘણાં સાથીદારોની ઉપેક્ષા કરીને કદાગ્રહ છોડતો નથી. આમ મિથ્યા આગ્રહ સેવવાથી પોતાને અને અન્યોને પણ કષ્ટરૂપ થવામાં કારણભૂત બને છે.
રાજકારણમાં અને સમાજજીવનમાં એક નવો ગ્રહ ઉભો થયો છે જેને સત્યાગ્રહ જેવું રૂપાળું નામ આપ્યું છે અને પોતાનું ધાર્યું કરાવવા માટે, પોતાની જ્ઞાતિ, ધર્મ કે પ્રદેશના નામે સત્યાગ્રહો થતાં હોય છે તે પણ લાંબા ગાળે તો નુકશાન કરતા જોવાય છે. ગાંધીજીએ સત્યનાં આધાર ઉપર, સત્યાગ્રહો કર્યા પરંતુ હવે તો સત્ય કે અસત્યનો વિવેક રાખ્યા વગર સત્યાગ્રહો થાય છે તે કેવું ?
આચાર્ય વિનોબાભાવે ગાંધીજીનાં સત્યાગ્રહી હતા પરંતુ પછીથી લખ્ય “સત્યાગ્રહી થવા કરતા, સત્વગ્રાહી બનવું સારું છે.” – સત્યનાં ગ્રાહક બનવું જરૂરી છે, સત્યમેવ જયતે. આત્મકલ્યાણ એજ પરમ સત્ય.
%e0%ઇ પ્રશાબીજ 128
જતિદિષ્ટિ