________________
બોધપાઠ-૪૮
0
ગ્રહોનું નડતર છે
ನನನನನನನನನನನನನನನನನನನ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવજીવોનાં જીવનમાં સુખ-દુઃખ, સંયોગવિયોગ, સફળતા-વિફળતા માટે નવ આકાશી ગ્રહો કારણરૂપ હોય છે. ગ્રહોની સીધી અને આડકતરી અસરો જીવન પર્યત થતી રહે છે, જેમાં ચડ-ઉતર થતી રહે છે અને તેનો પ્રભાવ વેદવો પડે છે. આવા ગ્રહોની અસરો શિથિલ કરવા કે ક્ષય કરવા માટે વિધિ-વિધાન પણ કરવામાં આવે છે. સાથે ધીરજ રાખી પુરુષાર્થ પણ કરતા રહેવું પડે છે.
આકાશી ગ્રહો ઉપરાંત માનવજીવો બીજા વધુ હાનિકારક ગ્રહો ઉપર લક્ષ આપતા નથી તે દુર્ભાગ્ય છે. તે ગ્રહોની ઓળખ કરવી ખૂબજ જરૂરી છે. જરા વિચારીએ – આગ્રહ, હઠ્ઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યાગ્રહ ઉપરાંત સૌથી બળવાન તે પરિગ્રહ છે. માટે તો જ્ઞાનીઓ કહે છે “પરિગ્રહ તે પાપનું મૂળ છે.” સાધકે આ વાત વિચારવી જરૂરી છે.
પોતાની વાત કે વર્તન, અન્યને હાનિકારક છે તેવું સમજવા છતાં આગ્રહ
ઇakબે પ્રજ્ઞાબીજ •125