________________
નથી. થોડો સમય શાંતિથી પસાર કરી, ધીરજથી છતા મક્કમતાથી આગળ વધતા રહેવું જરૂરી છે.
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આધ્યાત્મનાં લક્ષે બાળપણથી સાધના મક્કમતાથી અને ધીરજથી કરી હતી. આગળ જતા યુવાવયમાં એક તરફ પરમાર્થની સિદ્ધિ માટે પ્રચંડ પ્રચંડ પુરુષાર્થ કરવાની અંતરવૃત્તિઓ જોર કરે છે તો બીજી તરફ પૂર્વકર્મનો ઉદય ભારે અંતરાયો ઉભા કરે છે. ઇચ્છા નથી છતા વેપાર, વ્યવહાર, સંસાર વેઠવો પડે છે, સાથે-સાથે સમક્તિની પ્રાપ્તિ, આત્મવિશુદ્ધિ, મોક્ષપુરુષાર્થ પણ પૂરા વેગથી કરતા રહ્યા, એટલું જ નહીં, અન્ય આશ્રિતોનાં કલ્યાણ માટે પણ લેખન, સત્સંગ જેવી પ્રવૃત્તિ પણ કરતા રહ્યા. પરંતુ પ્રારબ્ધનો સાથ ન મળ્યો અને મોક્ષ પ્રાપ્તિ થોડી દૂર હતી ત્યાં આયુકર્મ પૂર્ણ થયું. જેથી લખ્યું :
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” ભગવાન રામનો વનવાસ અને મહાવીરના ઉપસર્ગો કર્મનું જ ફળ
%e0%eત્ર પ્રશાબીજ 124. BAઇટાઇટ: શિ