________________
બોધપાઠ-૪૭
0
કર્મનું પ્રાબલ્ય છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સાધક લક્ષ પ્રાપ્તિ માટે ભારે પરિશ્રમ કરતો હોય, સાધકિય ગુણો પણ ધારણ કરેલા હોય, સાધના માટે જરૂરી સાધનો પણ પ્રાપ્ત હોય છતાં સિદ્ધિ પ્રાપ્ત થવામાં તેને પ્રારબ્ધનું બળ પણ જરૂરી છે તે સ્મરણમાં રાખવું જરૂરી છે. આ પ્રારબ્ધ તે જીવનાં પૂર્વકર્મનું પરિણામ છે. અનાદિનાં પરિભ્રમણમાં જન્મ-જન્માંતરોનાં કરેલા શુભ-અશુભ ભાવ અને ક્રિયા પરિણામ રૂપે સમય આવ્યે ઉદયમાં આવે છે, પ્રત્યક્ષ થાય છે. આવા સમયે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચે ઘર્ષણ થાય છે તેમાં જેનું બળ વધુ હોય તે જીતે છે.
- સાધકે પુરુષાર્થ કરતા રહેવાનું જેટલું જરૂરી છે તેટલું જ પ્રારબ્ધવસાતું કોઈ વિઘ્ન આવે તો ધીરજ રાખવી જરૂરી છે. સાધકને સાધનામાં મુખ્ય સાધન તે પોતાનો દેહ છે, અંગ-ઉપાંગ છે, ઇન્દ્રિયો છે, મન છે, ગ્રહણ શક્તિ છે અને આ બધા સાધનો ઉપર કર્મનો પ્રભાવ સતત પડતો રહે છે. એક વાત ચોક્કસ છે કે કોઈ જ વિબ, વિક્ષેપ કે પ્રતિકૂળતા સમયવર્તી છે, કાયમી
ની&િઇટને પ્રશાબીજ •123
&ઇ
e