________________
બોધપાઠ-૪૬
-
સાધક
FF 2 )
જે કોઈ મનુષ્ય પોતાનાં લક્ષને પામવા માટે પુરુષાર્થ કરે તેને સાધક કહી શકાય. સૌના લક્ષ ભિન્ન-ભિન્ન હોઈ શકે છે. કોઈને વિદ્યા પ્રાપ્તિનું, કોઈને ધન પ્રાપ્તિનું કોઈને સત્તાનું, કોઈને યશ-માન-કીર્તિનું તો કોઈને મોક્ષ પ્રાપ્તિનું પણ લક્ષ હોઈ શકે. તે પ્રાપ્ત કરવા જે પુરુષાર્થ થાય છે તે એક પ્રકારની સાધના છે અને પુરુષાર્થી સાધક છે.
સાધકમાં કેટલાક ગુણો આવશ્યક છે તેનો થોડો વિચાર કરીએ તો : ૧. સાધકને પોતાનું લક્ષ સ્પષ્ટ હોવું જોઈએ, લક્ષ પોતાની શક્તિની મર્યાદાવાળુ જોઈએ અને લક્ષની સિદ્ધિ થતા જે પરિણામ આવશે તે પૂરેપૂરું પોતાને સ્વિકાર્ય હોવું જોઈએ. લક્ષ બદલતા રહેવાની વૃત્તિ હોવી ઘટે નહીં.
૨. સાધક સાધના પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, નિયમિત હોવો જોઈએ, પરિશ્રમી હોવો જોઈએ.
484848 પ્રશાબીજ +11 KOKIdliD